"उर्जापुरुष"

पंन्यासप्रवर श्री चन्द्रशेखर विजयजी महाराज संसारी अवस्थामां अबजोपति कुटुंबमां जन्मेला हतां. तेमनुं नाम इन्द्रवदन हतुं. तेमना पिताजी कांतिभाइ अने माताजी सुभद्राबेन हतां. तेमना काका जीवतलाल प्रतापशी हतां. तेओ राधनपुरनां वतनी हतां. तेमनो जन्म वि.सं. १९९० ना फागण सुद ५ ना दिवसे थयेलो. जन्म थतां ज तेमना माताजीऐ तेमना कानमां मंत्र फूंक्यो हतो - तुं जिनशासननो दीपक बनजे.

नानपणथी ज धर्मना संस्कार. घरमां धर्मनुं वातावरण. धरमां देरासर हतुं. त्रणे टाइम दर्शन - पूजा करे. नवकारशी - चोविहार पण करे. ऐक वार ताव आव्यो. घरना बधां पूजां करवानी ना पाडे. रडवा लाग्या. पराणे रजा मेलवी पूजा करी. नानपणथी ज धर्ममां खूब आस्था हती. ऐकवार स्कुलमां पी.टी. ना पीरियडमां कसरत माटे ग्राउन्डमां लइ गया. इन्द्रवदन न गया. पराणे खेंची लाव्या. घास पर पग मूकवानी ना पाडे. शिक्षकोऐ उंचकीने घास पर उभो राख्यो. पोक मूकीने रडवा लाग्या. नानपणमां ज आवो पापनो डर हतो.

सिद्धांतमहोदधि प्रेमसूरीश्वरजी महाराज अने न्यायविशारद भुवनभानु - सूरीश्वरजी महाराजानी प्रेरणा अने सत्संगथी वैराग्य थयो. वि.सं. २००८ मां वै.वद ६ ना

સિંહ ગર્જનાના સ્વામી.....

૧. ૮૬ શિષ્યો પ્રશિષ્યોને સંયમ જીવનનું પ્રદાન અને કદાચ વર્તમાનના ૧૦૦૦થી વધુ સાધુ - સાધ્વીજી ભગવંતોના જીવન પરિવર્તનના જનેતા, અનેક મુમુક્ષુઓને સંયમના આશીર્વાદ.

૨. ૧૦૦ થી વધુ આયંબીલ - ઓળી કરનાર ૭ શિષ્યો, ૯૦ થી ઉપર ૩ શિષ્યો, સળંગ ૧૦૦૦ આયંબીલ ૫ શિષ્યો, સળંગ ૫૦૦ આયંબીલ ૧૩ શિષ્યો. વર્તમાનના તપસ્વી સમ્રાટ પૂ. હેમવલ્લભવિજયજી મ.સા. જેમણે ૫૦૦૦ થી વધુ સળંગ આયંબીલ તપ કરેલ છે અને આજીવન કરવાની ભાવના છે તેમના ગુરુદેવ.

૩. ગુરુદેવ પ્રેમસૂરીશ્વરજી મ.સા. આદિ ગુરુ ભગવંતોની અદ્ભુત વૈયાવચ્ચ લગભગ ૬૦ વર્ષ અખંડિત ૧૦૮ ઉવસગ્ગહરંનો જાપ, છેલ્લી પળ સુધી નિયમિત ગચ્છાધિપતિ પાસે પ્રાયશ્ચિત, જાહેરમાં નાનીસી ભૂલનો પણ એકરાર - શુદ્ધિ સમ્રાટ હતા.

૪. પંન્યાસજી પદ હોવા છતાં સમુદાયના પર્યાયમાં નાના આચાર્ય ભગવંતો દ્વારા વંદન કરાતા ઐતિહાસિક બહુમાન પામનારા વિરલ મહાપુરુષ આચાર્ય પદવી ન લીધી હોવા છતાં શ્રી સંઘનું ભાવાચાર્ય જેવું બહુમાન.